૭ ઓગસ્ટ, ૨૦૦૬ની સાંજ. મહત્વની ચીજોને બચાવવાની વ્યવસ્થા થાય એ પહેલા જ ઘરમાં પ્રવેશીને સડસડાટ પાંચ ફૂટ સુધી ભરાયેલાં પાણીએ પછી તો ચાર–ચાર દિવસનો ધામો નાખ્યો. અને ટૂકા પગારમાં બહુ ભાવપૂર્વક વસાવેલી ઘરવખરી, હ્રદયના ટુકડાં સમાં કેટલાય પુસ્તકો, બાળપણથી તરુણાવસ્થા સુધીનાં ફોટોગ્રાફ, આકાશવાણી પરનાં પ્રથમ કાવ્યપઠનની કેસેટ, અન્ય અનેક યાદગીરીઓ અને ચાર–ચાર દિવસની ઊંઘની ઉઘાડી લૂંટ કરીને પાણી તો બિન્દાસ જવાં લાગ્યાં. લ્યો બોલો ! પણ હું એને આમ તે કંઇ જવા દઉં કે ! મેંય એની પાસે એક ગઝલની ઉઘરાણી કરી લીધી… આ જુઓ…છે ને !
દોડતાં આવ્યા અને પળમાં જ ડુબાડી ગયાં,
પાણીને લાગી તરસ તો શહેર આખું પી ગયાં!
સ્વપ્ન જાણે આંખનું સરનામું પણ ભૂલી ગયાં,
એમ દિવસો સાવ ખુલ્લી આંખમાં વીતી ગયા.
આમ જો કે મૃત્યુંથી તો કોઇ ’દિ બીતા નથી,
દીકરીને ભૂખ લાગી એટલે ધ્રુજી ગયા.
પૂરનાં જળની સપાટી ના વધે બસ એટલે,
આંખનાં પાણીને લોકો આંખમાં રોકી ગયાં.
દોસ્ત ઘરવખરીની સાથે કેટલી યાદો ગઈ,
પાણી તો વીત્યા સમયની જિંદગી તાણી ગયાં.
આ તબાહી ભૂલવી સહેલી નથી પણ તે છતાં,
તે છતાં સદભાગ્ય એ કે બસ… અમે જીવી ગયાં.
કિરણસિંહ ચૌહાણ
hello kiranbhai,
very nice & heart touching poem abt surat flood 2006.
ખૂબ જ સુંદર ગઝલની ઉઘરાણી કરી હતી…! અભિનંદન.
તે છતાં સદભાગ્ય એ કે બસ… અમે જીવી ગયાં. — સાચી વાત છે… એટલે જ પેલું કહેવાય છે ને કે “જાન છે તો જ જહાં છે !”
Nice gazal with full of feelings!
Sudhir Patel.
સાચી વાત છે. મ્રુત્યુની બીક ન લાગે, પણ દીકરી ભૂખી રહે તે કેવી રીતે સહેવાય ? પૂરનો અનુભવ હજુય કંપાવી દે છે.
જનક નાયક
I remember , it’s a first farmaish by my one of the readers.
and I tried to contact you , I put it in your handwriting
on WebMehfiL. http://webmehfil.com/?p=59
Very very nicely expressed !!
Quite emotional. It is hard to put such events in words- but you did it in very balanced form.
સુંદર ગઝલ… કવિના સ્વમુખે બે-ત્રણવાર સાંભળેલી અને એ વખતે શ્રોતાગૃહમાં ફરી ઊપસી આવતી પૂરની વેદના પણ અનુભવી છે… આ શેર દર વખતે લોકોના શ્વાસ થંભાવી દેતો:
પૂરનાં જળની સપાટી ના વધે બસ એટલે,
આંખનાં પાણીને લોકો આંખમાં રોકી ગયાં.
એ તબાહી ફરી આંખ સામે છતી થઈ ગઈ…
સુંદર ગઝલ.
આમ જો કે મૃત્યુંથી તો કોઇ ’દિ બીતા નથી,
દીકરીને ભૂખ લાગી એટલે ધ્રુજી ગયા.
બહુ જ ચોટદાર વાત … અનુભવે જ લખી શકાય આ વાત.
ગઝલ સરસ લખો છો તે ખબર હતી. ઉઘરાણી પણ સરસ કરો છો તે આજે જાણ્યું. ઈશ્વર નામનો એક શખસ અમારાં સુખો દબાવીને બેઠો છે. ઉઘરાણી કરી આપો તો સારું! અગાઉ આ ગઝલ વાંચી ત્યારેય હૃદયસ્પર્શી લાગી હતી.આજેય એટલી હૃદયસ્પર્શી .
પૂરના જળની સપાટી ના વધે બસ એટલે
આંખના પાણીને લોકો આંખમાં રોકી ગયા.
શિરમોર શેર! કદાચ છેલ્લા શેરનો મોહ છોડ્યો હોત તો આખી ગઝલ સાદ્યંત સુંદર નીવડત. જોકે આ મારો મત છે.
ક્યા બાત હૈ, કિરણભાઇ….
‘આમ જો કે મૃત્યુંથી તો કોઇ ’દિ બીતા નથી, દીકરીને ભૂખ લાગી એટલે ધ્રુજી ગયા.
પૂરનાં જળની સપાટી ના વધે બસ એટલે,આંખનાં પાણીને લોકો આંખમાં રોકી ગયાં.’
…. ખૂબ સુંદર અને ચોટદાર શબ્દો, ક્યાંય અટવાયા વિના સીધે સીધા હૃદય પર ટકોરો મારે એવા બે શેર…અભિનંદન..
Khubaj chotdar Gazal vanchva mali. Dhanyavad, Khub aabhar.
Amit Patel,
Gandevi.